મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાયબર ફ્રોડની બેન્ક એકાઉન્ટમાં આવેલ રકમ રોકડેથી આંગડિયું કરવાનું કામ કરનારા બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં સાયબર ફ્રોડની બેન્ક એકાઉન્ટમાં આવેલ રકમ રોકડેથી આંગડિયું કરવાનું કામ કરનારા બે આરોપીની ધરપકડ

મોરબી જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં સાયબર ફ્રોડની કરીને મેળવેલ રકમને આગળ આંગડિયું કરનારા બે શખ્સને પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.

છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા હતા જેથી સાયબર ફ્રોડ કે છેતરપિંડીથી કોઈ પણ બેંક એકાઉન્ટમાં રૂપિયા લેવામાં આવ્યા હોય તો તે બેન્ક એકાઉન્ટના ધારક સહિતની આખી સિન્ડિકેટરને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરીને ધડોધડ ગુના નોંધીને આરોપીઓને પકડવાની શરૂઆત કરી છે તેવામાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વસંત જયરાજભાઇ વાઘેલા રહે. કોળીની વાડી રોકડિયા હનુમાન મંદિર પાસે મોરબી, લાલજીભાઈ શામજીભાઈ દેગામા રહે. માધાતા સોસાયટી પુરા મોરબી, રવિભાઈ ગઢવી રહે. મોરબી અને ગોપાલભાઈ ઉપસરીયા રહે. મધુપુર તાલુકો મોરબી તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાય હતી જેમાં જણાવ્યું હતું કે વસંત વાઘેલા અને લાલજીભાઈ દેગામાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ કે છેતરપિંડીથી 2,01,120 રૂપિયા આવ્યા હતા જે રવિભાઈ ગઢવી અને ગોપાલભાઈ ઉપસરિયાએ લાગતા વળગતાઓ સાથે પૂર્વ આયોજિત કાવતરું રચીને તે રકમને બેન્ક એકાઉન્ટમાંથી ચેકથી કે એટીએમ મારફતે વીડ્રો કરી હતી અને તે નાણાને સગેવગે કર્યા હતા અને આર્થિક લાભ મેળવ્યો હતો. 

જે ગુનામાં પોલીસે આગાઉ વસંત જયરાજભાઇ વાઘેલા અને લાલજીભાઈ શામજીભાઈ દેગામાની ધરપકડ કરી હતી અને હાલમાં પોલીસે આ ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.વસાવા અને તેની ટીમ દ્વારા હાલમાં આરોપી રવિ નારણભાઈ દેવસુર (30) રહે. ધરમપુર રોડ લાભનગર મોરબી તથા ભાવિન નરેન્દ્રભાઈ ત્રિવેદી (43) રહે. લક્ષ્મીનગર સોસાયટી શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સાયબર ફ્રોડ કરીને બેન્ક એકાઉન્ટમાં આવેલા નાણા રોકડેથી મેળવીને તેને આગળ આંગડિયું કરવાનું કામ હાલમાં પકડાયેલા આરોપીઓ દ્વારા કરવામાં આવતું હતું જેની સામે તેને ત્રણ ટકા જેટલું કમિશન મળતું હતી. જેથી આ બંને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે અને ફ્રોડ કરીને મેળવેલા રૂપિયા આગળ કોને મોકલવામાં આવતા હતા તે દિશામાં આગળની તપાસ હાથ ધરાશે.






Latest News