મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ


SHARE











ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ

ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં ૩ સંચાલક, ૪ રસોઈયા તથા ૫ મદદનીશની સરકારએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા જે-તે ગામના સ્થાનિક ઉમેદવારોએ મામલતદાર ટંકારા, મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી ટંકારાના સરનામે ૩૦/૧૨/૨૦૨૫ સુધીમાં પોસ્ટ મરફતે બંધ કવરમાં પહોંચતું કરવાનું રહેશે. નિયત સમયમર્યાદા બાદ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં,

આ ભરતી અન્વયે સંચાલક માટે સજનપર પ્રાથમિક શાળામાં ૧, ઉમિયાનગર પ્રાથમિક શાળામાં ૧  અને રાજાવડ પ્રાથમિક શાળામાં ૧ મળી કુલ ૦૩ સંચાલક, રસોઈયા માટે નેસડા (ખા. ) પ્રાથમિક શાળામાં ૧, ઉમિયાનગર પ્રાથમિક શાળામાં ૧, નવા વીરપર પ્રાથમિક શાળામાં ૧ તથા રાજાવડ પ્રાથમિક શાળામાં ૧ મળી કુલ ૦૪ રસોઈયા તેમજ મદદનીશ માટે નેસડા (સુ.) પ્રાથમિક શાળામાં ૧, ઘુનડા (ખા.) પ્રાથમિક શાળામાં ૧, નેસડા (ખા. ) પ્રાથમિક શાળામાં ૧, ગજડી પ્રાથમિક શાળામાં ૧ તથા દ્વારકાધીશ પ્રાથમિક શાળામાં ૧ મળી કુલ ૦૫ મદદનીશ જગ્યાઓ એમ કુલ ૧૨ કર્મચારીઓની ભરતી કરવાની છે. અને તેના માટે સરકારે નક્કી કરેલ શૈક્ષણિક લાયકાત ઉમેદાવારમાં હોવી જોઈએ. અને ફોર્મ સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેણાંકનો પુરાવો (રેશનકાર્ડ અથવા લાઈટ બિલ), આવકનો દાખલો, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ચૂંટણી કાર્ડની નકલ જોડવાની રહેશે. અરજી ફોર્મમાં ઉમેદવારે પોતાનો ફોટો ચોંટાડવાનો રહેશે અને મોબાઈલ નંબર અવશ્ય લખવાનો રહેશે. અને વધુ માહિતી માટે ટંકારા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાં સંપર્ક કરવા ટંકારા મામલતદારે જણાવ્યુ છે.






Latest News