ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો સેશન્સ કોર્ટમાંથી જમીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો સેશન્સ કોર્ટમાંથી જમીન ઉપર છુટકારો

મોરબીમાંથી ૨ કીલો ૨૩૦ ગ્રામ ગાંજા સાથે એક આરોપી પકડાયો હતો જેથી પોલીસે એનડીપીએસનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ આરોપીએ રેગ્યુલર જમીન મેળવવા માટે તેના વકીલ મારફતે કોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને માન્ય રાખીને કોર્ટે આરોપીની જમીન અરજી મંજૂર કરતાં આરોપીનો જામીન પર છુટકારો થયેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૨ કીલો ૨૩૦ ગ્રામ વનસ્પતી જન્ય ગાંજા સાથે આરોપી આરીફ યાકુબભાઈ કચ્છી રહે. ખાટકીવાસ મોરબીને ઝડપી લીધેલ હતી અને તેની સામે એ ડિવિઝનમાં એનડીપીએસ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો. અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીએ રેગ્યુલર જામીન માટે તેના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત અરજી દાખલ કરેલ હતી અને મોરબીના સેસન્સ જજ કે.આર. પંડયા સાહેબે સમક્ષ આરોપીના વકીલ મનીષ પી. ઓઝાએ કરેલ દલીલને માન્ય રાખીને કોર્ટે આરોપી આરીફ યાકુબભાઈ કચ્છીના ૨૫,૦૦૦ ના જમીન મંજૂર કરેલ છે. આ કેસમાં મોરબીના સીનીયર વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા.






Latest News