મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા રેલ્વે સ્ટેશન પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE













મોરબીના બરવાળા રેલ્વે સ્ટેશન પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

 

મોરબીના નવલખી હાઈવે ઉપર બરવાળા ગામે રેલ્વે સ્ટેશનની પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં ટ્રકના ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લીધો હતો. જે બનાવમાં ઘવાયેલ યુવાનનું ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજેલ છે.

 પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના બરવાળા ગામે નવલખી હાઈવે ઉપર રેલ્વે સ્ટેશનની નજીક ગઈકાલ તા.9ના રોજ રાત્રીના નવેક વાગ્યે બાળક લઈને જઈ રહેલા રાજીવરંજન નાગેશ્વરભાઈ ઝા (ઉમર 42)ના બાઈકને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધુ હતું. આ બનાવમાં ગંભીરપણે ઘવાયેલ હાલતમાં રાજીવરંજન ઝાને અત્રેની આયુષ હોસ્પીટલે લઈ જવાયો હતો.જોકે ટુંકી સારવારમાં તેમનું મોત નિપજતા મૃતદેહ પીએમ માટે અત્રેની સિવિલે ખસેડાયો હતો. બનાવને પગલે જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયાએ આગળની તપાસ શરૂ કરેલ છે.

દારૂના ગુનામાં અટકાયત
 મોરબી બી ડિવિઝન પોલીસ મથકના જે.જે. ડાંગરે દારૂના ગુનામાં અંકિત દિપકભાઈ સોલંકી વાળંદ (29) રહે. શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ ટી.કે. હોટલ પાસે ત્રાજપર સામે મોરબી-2ની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જયારે મોરબીના લાલપર ગામે રામજી મંદિર વાળી શેરીમાં રહેતા જીજ્ઞેશ ભીખુભાઈ ટાટમીયા (27) નામના આહીર યુવાનની અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગના હેડ કોન્સ. દિનેશભાઈએ મોરબી ખાતેથી અટકાયત કરી તપાસના ગામે તેને અમદાવાદ લઈ ગયેલ હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા
 મોરબી માધાપર મેલડી માતાજી મંદિર પાસે થયેલ મારામારીમાં ઈજાઓ થતા વર્ષાબેન સવજીભાઈ પીપળીયા (18) રહે. મોરબી અને હચુબેન અર્જુનભાઈ લીંબડ (45) રહે. જામનગરને ઈજાઓ થતા સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા. જયારે વાંકાનેરના તીથવા ગામે રોટાવેટર મશીનમાં પગ આવી જતા ઈજા પામેલ જુબેરભાઈ રસુલભાઈ વકાલીયા રહે. તીથવાને અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત
 જુનાગઢના અમૃતનગરમાં રહેતા રવજીભાઈ સોમાભાઈ ગોહેલ ઘરેથી બાઈક લઈને કારખાને કામે જતા હતા ત્યારે વાહન સ્લીપ થતા ઈજા પામ્યા હોય સારવારમાં દવાખાને ખસેડાયા હતા.જયારે મોરબીના લીલાપર કેનાલ રોડેથી બાઈક લઈને જઈ રહેલા સહદેવ ગણેશભાઈ સોનગ્રા રહે. બોરીયા પાટી લીલાપર રોડને રીક્ષા ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત સહદેવ સોનગ્રાને સારવારમાં ખસેડાયો હતો.જુના નાગડાવાસ ગામે તળાવ પાસે બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામેલ ઘોઘજીભાઈ મોહનભાઈ (ઉ.વ.62) રહે. નાગડાવાસને અહીંની શિવમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

બાઈક-બોલેરો અકસ્માત
 મોરબીના શાપર ગામના ઢાળ પાસે બાઈક અને બોલેરો વચ્ચે અથડામણ થતા ઈજા પામેલા હસીનાબેન પરબતભાઈ સામતાણી (46) રહે. ચીખલી તા. માળીયામીંયાણાને અત્રેની સાગર ઓર્થોપેડીક હોસ્પીટલે ખસેડાયા હતા. મોરબીના સાદુળકા ગામે વાડી વિસ્તારમાં શિવમ સુમારભાઈ ભયડીયા નામનો 30 વર્ષનો યુવાન કોઈ કારણોસર દવા પી જતા સારવાર માટે ખસેડાયો હતો તેમ પોલીસે જણાવેલ છે.

બાળક સારવારમાં
 મોરબી-હળવદ રોડ નીચી માંડલ પાસે સિરામીક યુનીટના લેબર કવાટરમાં રમતા રમતા પાણીની ડોલમાં પડી જતા નિશા મુન્નાભાઈ કનેશ (ઉ.1)ને અત્રેની શિવમ હોસ્પીટલે ખસેડાયલ હતી જયારે નાગડાવાસ ગામે વાડી વિસ્તારમાં ભાણુભાઈની વાડીએ રોજડા (જંગલી પ્રાણી)એ પેટના ભાગે પગ મારી દેતા નાનુબેન ગુલાભાઈ સોલંકી (18)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News