મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીના રવાપર નદી ગામે દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબી તાલુકાના રવાપર નદી ગામે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં કામ દરમ્યાન દાઝી ગયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો જ્યાં પખવાડીયા સુધી મોત સામે ઝઝુમ્યા બાદ ગઇકાલે સારવાર દરમિયાન મજુર યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ભરતનગર આઇટીઆઇની પાછળ આવેલ રવાપર નદી ગામે એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામ યુનીટમાં બોઇલર ઉપર કામ કરતા સમયે દાઝી ગયેલા અર્જુન બાબુભાઇ નામના ૨૯ વર્ષીય યુવાનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. છેલ્લા એક પખવાડિયા સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ મજૂર અર્જનભાઇ બાબુભાઈ (૨૯) નામના મજુર યુવાનનું ગઈકાલ તા.૧૬-૧૨ ના રાત્રીનાં દશેક વાગ્યાના અરસામાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.હાલ મોરબી તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.બી.વ્યાસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરી છે.

ચકમપર ગામે મારામારી

મોરબી તાલુકાના ચકમપર ગામે ગઈકાલ સાંજે પાંચેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દિનેશ કાંતિલાલ ચૌહાણ નામના ૩૨ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને જેતપર પીએચસી ખાતે સારવારમાં લઈ જવાયો હતો.બનાવની નોંધ કરીને બીટ જમાદાર આર.બી.વ્યાસે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ શોભેશ્વર રોડ ઉપર ઘર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વિશાલ રામાભાઇ મુખીયા (૧૯), અનીતાબેન ભુષણભાઈ ચૌધરી (૩૫) અને ભૂષણભાઈ હરેન્દ્રભાઇ ચૌધરી (૪૫) નામના ત્રણ લોકોને ઇજાઓ થતાં તેને સારવાર માટે અત્રેની સિવિલમાં ખસેડાયા હતા.બી ડિવિઝન પોલીસ મથકના જે.એમ. જાડેજાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે તે રીતે જ મોરબીના રંગપર ગામે સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતો પ્રણવ પરિતોષભાઇ બાલા નામનો ૩૦ વર્ષીય યુવાન શહેરના સામાકાંઠે ત્રાજપર ચોકડી પેટ્રોલ પંપ નજીક હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલમાં લઈ જવાયો હતો.






Latest News