મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE













માળીયા (મી)માં સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

માળિયા તાલુકામાં સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર નથી જેથી આ તાલુકાનાં ખેડૂતોને કપાસ વેંચવા માટે મોરબી કે રાજકોટ સુધી જવું પડે છે જેથી કરીને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા રાજ્યના કૃષિ મંત્રી અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઝોનલ મેનેજર લેખિતમાં રજૂઆત કરીને માળીયા તાલુકામાં કપાસની ખરીદી માટે સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા રાજ્યના કૃષિ મંત્રી અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઝોનલ મેનેજર લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છેકે, માળિયા તાલુકો મોરબી જિલ્લાના મુખ્ય કપાસ ઉત્પાદન વિસ્તારોમાંનો એક છે. દર વર્ષે અહીં નાના-મોટા હજારો ખેડૂતોએ કપાસની ખેતી કરી પોતાની રોજીરોટી ચલાવે છે. પરંતુ તાલુકામાં CCI ખરીદી કેન્દ્ર ન હોવાથી ખેડૂતોને પાક વેચવા માટે મોરબી, રાજકોટ અથવા અન્ય દુર સ્થિત શહેરોમાં જવું પડે છે. જેથી ખેડૂત હિત અને MSPની સુવિધા સીધી તાલુકાના ખેડૂતો સુધી પહોંચે તે દૃષ્ટિએ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને માળિયા તાલુકામાં સીસીઆઈ ખરીદી કેન્દ્ર શરૂ કરવાની માંગ કરવાં આવેલ છે. અને તેના માટેની કાર્યવાહી ઝડપથી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.






Latest News