મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE











માળીયા (મી)માં સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

માળિયા તાલુકામાં સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર નથી જેથી આ તાલુકાનાં ખેડૂતોને કપાસ વેંચવા માટે મોરબી કે રાજકોટ સુધી જવું પડે છે જેથી કરીને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા રાજ્યના કૃષિ મંત્રી અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઝોનલ મેનેજર લેખિતમાં રજૂઆત કરીને માળીયા તાલુકામાં કપાસની ખરીદી માટે સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવાની માંગ કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા રાજ્યના કૃષિ મંત્રી અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઝોનલ મેનેજર લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છેકે, માળિયા તાલુકો મોરબી જિલ્લાના મુખ્ય કપાસ ઉત્પાદન વિસ્તારોમાંનો એક છે. દર વર્ષે અહીં નાના-મોટા હજારો ખેડૂતોએ કપાસની ખેતી કરી પોતાની રોજીરોટી ચલાવે છે. પરંતુ તાલુકામાં CCI ખરીદી કેન્દ્ર ન હોવાથી ખેડૂતોને પાક વેચવા માટે મોરબી, રાજકોટ અથવા અન્ય દુર સ્થિત શહેરોમાં જવું પડે છે. જેથી ખેડૂત હિત અને MSPની સુવિધા સીધી તાલુકાના ખેડૂતો સુધી પહોંચે તે દૃષ્ટિએ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને માળિયા તાલુકામાં સીસીઆઈ ખરીદી કેન્દ્ર શરૂ કરવાની માંગ કરવાં આવેલ છે. અને તેના માટેની કાર્યવાહી ઝડપથી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.






Latest News