મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે


SHARE













પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે

'બીજાના ભલામાં આપણું જ ભલું છે'.આ જીવનસૂત્ર સાથે લાખો લોકોને હૂંફ આપનાર વિરલ સંતવિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે નિર્માણધિન બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર મોરબી દ્વારા વિરાટ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિરાટ રક્તદાન યજ્ઞ આગામી તા.૩૦ નવેમ્બરને રવિવારના રોજ સવારે ૮ થી સાંજે ૫ કલાકે બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર મોરબી ખાતે યોજાશે.ભારતમાં દર વર્ષે હજારો-લાખો લોકો રક્તના અભાવે મૃત્યુ પામે છે ત્યારે આપણું એક સમયનું રક્તદાન ૩ વ્યકિતોનું જીવન બચાવી શકે છે.જેથી રક્તદાન યજ્ઞમાં સગાં-સ્નેહી અને મિત્રો સાથે જોડાવા મોરબીના તમામ સશક્ત અને સ્વસ્થ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.






Latest News