હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના નજીક ત્રીપલ સવારી બાઈકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: બે સારવારમાં


SHARE











વાંકાનેરના નજીક ત્રીપલ સવારી બાઈકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: બે સારવારમાં

વાંકાનેર નજીક ત્રિપલ સવારી બાઇકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું અને બે યુવાનને ઇજા થતા તેને સારવારમાં ખસેડાયેલ છે. જે બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ નજીક આવેલા જ્યોતિ સીરામીક કારખાના પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં તા.21/11 ના રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ત્રિપલ સવારીમાં બાઈક નંબર જીજે 36 એ એચ 4310ને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા પાનેલી ગામના રહેવાસી રાહુલભાઈ રમેશભાઈ વાઘાણી (32)ને ગંભીર ઇજાઓ થઈ હતી.જેથી તેને વાંકાનેર ખાતે સારવાર માટે લઈ જવા આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબી લાવવામાં આવતો હતો ત્યારે રસ્તામાં રાહુલ રમેશભાઈનું મોત નિપજયુ હતું. આ બનાવમાં રાહુલના ફૈબાના દીકરા ભરતભાઈ નાથાભાઈ વિંજવાડીયા (27) રહે.હસનપર તથા કિશન નાથાભાઈ વિંજવાડીયા (24) રહે.હસનપર વાળાને ઇજાઓ થઈ હોય તે બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક રાહુલ વાઘાણી તેના ફૈબાને ત્યાં વાંકાનેરના હસનપર ગામે રહેતો હતો અને મામા-ફૈઈના ત્રણેય ભાઈઓ વાંકાનેરના રાતીદેવડી ગામ બાજુ મજૂરી કામ માટે આવ્યા હતા અને ત્યાંથી પરત તેઓ પોતાના ઘરે જતા હતા. ત્યારે હસનપર બ્રિજ નજીક કારખાના પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું છે.






Latest News