મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે મંત્રીની હાજરીમાં બેઠક યોજાઇ


SHARE







કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે મંત્રીની હાજરીમાં બેઠક યોજાઇ

મોરબી જિલ્લા કમલમ કાર્યાલયનું આગામી તારીખ 21 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન થવાનું છે ત્યારે આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે હાલમાં ભાજપ પરિવાર દ્વારા જુદી જુદી જગ્યા ઉપર મીટીંગોનું આયોજન કરવામાં આવ્યું છે દરમ્યાન મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, જયંતીભાઈ પટેલ, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિસીપભાઈ કૈલા, શહેર ભાજપના મહામંત્રી ભુપતભાઈ જારીયા અને ભાવેશભાઈ કંઝારિયા સહિતના આગેવાનોની હાજરીમાં મોરબી શહેર ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ પાલિકાના માજી સભ્યો સહિતનાઓની હાજરીમાં બેઠક યોજાઇ હતી જેમાં આગમી તા 21 ના રોજ યોજાનાર કાર્યક્રમ યાદગાર બની રહે તે માટે તન મન ધનથી ભાજપના સૈનિકોને કામે લાગી જવા માટે હાકલ કરવામાં આવી હતી. આવી જ રીતે મોરબીના વીસીપરા વિસ્તારમાં મનુભાઈ સારેસાના નિવાસ સ્થાન ખાતે ભાજપના આગેવાનોની હાજરીમાં ભાજપના કાર્યક્રરોની બેઠક યોજાઇ હતી.






Latest News