મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબી-હળવદમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા કારસેવકોની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન


SHARE







મોરબી-હળવદમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા કારસેવકોની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન

મોરબી અને હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં  ગયેલા કારસેવકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તે હુતાત્માઓની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં પ્રથમ કારસેવામાં તત્કાલ સરકાર દ્વારા ગોળીબાર કરી કારસેવકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ હત્યાકાંડમાં બલિદાન થયેલ તમામ હુતાત્માઓની યાદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્ય દ્વારા તા ૨/૧૧/૨૦૨૫ ને રવિવારના રોજ સંસ્કારધામ બ્લડ બેંક, જી.આઈ. ડિ.સી મેઈન રોડ,મોરબી ખાતે સવારે ૯ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા તા ૦૧/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ લોહાણા મહાજન વાડી ખાતે સવારે ૯ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ તથા જાહેર જનતાની સેવા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવાનું આયોજન કરાયું છે. અને બપોરે ૧૨:૩૦ વાગ્યે સ્વરૂચિ ભોજન સમારંભનું પણ આયોજન કર્યું છે.






Latest News