હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી-હળવદમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા કારસેવકોની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન


SHARE











મોરબી-હળવદમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા કારસેવકોની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન

મોરબી અને હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં  ગયેલા કારસેવકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તે હુતાત્માઓની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં પ્રથમ કારસેવામાં તત્કાલ સરકાર દ્વારા ગોળીબાર કરી કારસેવકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ હત્યાકાંડમાં બલિદાન થયેલ તમામ હુતાત્માઓની યાદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્ય દ્વારા તા ૨/૧૧/૨૦૨૫ ને રવિવારના રોજ સંસ્કારધામ બ્લડ બેંક, જી.આઈ. ડિ.સી મેઈન રોડ,મોરબી ખાતે સવારે ૯ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા તા ૦૧/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ લોહાણા મહાજન વાડી ખાતે સવારે ૯ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ તથા જાહેર જનતાની સેવા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવાનું આયોજન કરાયું છે. અને બપોરે ૧૨:૩૦ વાગ્યે સ્વરૂચિ ભોજન સમારંભનું પણ આયોજન કર્યું છે.






Latest News