મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણીને ધ્યાને રખને ઘુનડા રોડ ઉપર ભારે વાહનોની અવર-જવર કરાઇ બંધ


SHARE













મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણીને ધ્યાને રખને ઘુનડા રોડ ઉપર ભારે વાહનોની અવર-જવર કરાઇ બંધ

મોરબીમાં આગામી તા ૧ થી ૭ સુધી રવાપર ઘુનડા રોડ, પાણીના ટાંકા સામે દાદા ભગવાનની ૧૧૮ મી જન્મ જયંતીની ઉજવણી અન્વયે ધાર્મિક મહોત્સવ સભા યોજાવાની છે. અને વિવિધ કાર્યક્રમો યોજાશે તેમાં બહારગામથી દરરોજના હજારોની સંખ્યામાં લોકો ભાગ લેશે. જેથી આ રોડ ઉપર ભીડભાડ રહેવાની હોવાથી કાર્યક્રમ સ્થળ પાસેથી સનાળા તથા રવાપર ગામથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર અવર જવાનો રોડ ઉપર ભારે વાહનોની અવર જવર ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામા અનુસાર સનાળા ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતો ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. રવાપર ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફથી રવાપર ગામ તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફથી સનાળા ગામ તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. વીરપર ગામના કાચા રસ્તેથી ઘુનડા ગામ, જડેશ્વર મંદિર તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. વીરપર ગામના કાચા રસ્તે થી રવાપર ગામ સનાળા ગામ તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. અને વૈકલ્પિક માર્ગ તરીકે સનાળા ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતા વાહનો લજાઈ ચોકડી હડમતીયા ગામથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ જઈ શકશે. રવાપર ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતા વાહનો ઘુનડા ચોકડી થી રાજપર ચોકડી લજાઇ ચોકડી હળમતીયા ગામથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ જઈ શકશે. આ જાહેરનામુ તા ૧ થી ૭ સુધી સવારે ૦૮:૩૦ થી રાત્રિના ૧૦:૩૦ કલાક સુધી અમલમાં રહેશે.






Latest News