મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો સર્વે કરીને સહાય ચૂકવવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો સર્વે કરીને સહાય ચૂકવવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત

છેલ્લા દિવસોમાં પડેલા કમોસમી વરસાદને ધ્યાને રાખીને ટંકારા પડધરીના ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવેલ છે અને તેઓના મત વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરીને સરકાર તરફથી સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે.

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના મારા મત વિસ્તાર આવતા મોરબી, ટંકારા, પડધરી અને રાજકોટ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે જેથી કરીને ઘણા ખેડૂતોના કાપસ, મગફળી સહિતના તૈયાર પાક નિષ્ફળ ગયેલ છે અને ખેડૂતોને ઉભા પાકમાં પણ નુકસાન થયેલ છે જેથી ઘણા ખેડૂતોએ તેઓને આ બાબતે રજૂઆતો કરી છે જેથી કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકશાનનો તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ હોય તેઓને સરકારી સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે ત્યારે સત્વરે નુકસાનનો સર્વે કરાવીને ખેડૂતોને સહાય પેટે વળતર આપવામાં આવે તે જરૂરી છે. આ પત્ર તેઓએ મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પણ મોકલવેલ છે.






Latest News