મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો સર્વે કરીને સહાય ચૂકવવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો સર્વે કરીને સહાય ચૂકવવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત

છેલ્લા દિવસોમાં પડેલા કમોસમી વરસાદને ધ્યાને રાખીને ટંકારા પડધરીના ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવેલ છે અને તેઓના મત વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરીને સરકાર તરફથી સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે.

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના મારા મત વિસ્તાર આવતા મોરબી, ટંકારા, પડધરી અને રાજકોટ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે જેથી કરીને ઘણા ખેડૂતોના કાપસ, મગફળી સહિતના તૈયાર પાક નિષ્ફળ ગયેલ છે અને ખેડૂતોને ઉભા પાકમાં પણ નુકસાન થયેલ છે જેથી ઘણા ખેડૂતોએ તેઓને આ બાબતે રજૂઆતો કરી છે જેથી કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકશાનનો તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ હોય તેઓને સરકારી સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે ત્યારે સત્વરે નુકસાનનો સર્વે કરાવીને ખેડૂતોને સહાય પેટે વળતર આપવામાં આવે તે જરૂરી છે. આ પત્ર તેઓએ મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પણ મોકલવેલ છે.




Latest News