હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ઘરમાં ગાંજાનું વાવેતર !: માળીયા (મી)ના સરવડ ગામે 3.350 કિલો ગાંજા સાથે એકની ધરપકડ


SHARE











ઘરમાં ગાંજાનું વાવેતર !: માળીયા (મી)ના સરવડ ગામે 3.350 કિલો ગાંજા સાથે એકની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં રહેણાંક મકાનમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગાંજાના નાના મોટા લીલા 13 છોડ મળી આવ્યા હતા જેથી 3 કિલો 350 ગ્રામ ગાંજાના જથ્થાને પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને 33,500 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયાના સરવડ ગામે સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં રહેતા પ્રવીણભાઈ વિરમગામાના રહેણાંક મકાનમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગાંજાના નાના-મોટા 13 લીલા છોડ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 3 કિલો 350 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપી પ્રવીણભાઈ મગનભાઈ વિરમગામા (49) રહે. સ્વામિનારાયણ મંદિર વાળી શેરી સરવડ તાલુકો માળીયા વાળની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 33,500 ની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંગેની આગળની વધુ તપાસ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબાર ચલાવી રહ્યા છે






Latest News