ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં બુધવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની હાજરીમાં સ્નેહમિલન સાથે જન આક્રોશ સભા યોજાશે


SHARE











મોરબીમાં બુધવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની હાજરીમાં સ્નેહમિલન સાથે જન આક્રોશ સભા યોજાશે

મોરબીમાં બુધવારે કોંગ્રેસના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પ્રદેશ  કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી સહિતના આગેવાનો હાજર રહેવાના છે અને સ્નેહમિલન સાથે જન આક્રોશ સભા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર મોરબી જિલ્લામાંથી કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા તમામ લોકોને આવવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આમંત્રણ આપ્યું છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ જણાવ્યુ હતું કે, તા 29 ને બુધવારે કોંગ્રેસના સ્નેહમિલન અને તેની સાથે જન આક્રોશ સભાનું આયોજન પંચાસર ચોકડી પાસે આવેલ ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ જનતાના હક્ક, ન્યાય અને બદલાવના સંકલ્પ લેવામાં આવશે અને ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિધાનસભાના વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને મહમદજાવેદ પીરઝાદા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે સ્નેહમિલન અને જન આક્રોશ સભામાં કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યક્રરોને હાજર રહેવા માટે તેમજ વધુમાં વધુ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોને આવવા માટે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ આમંત્રણ આપ્યું છે.






Latest News