ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ કરવા કાંતિભાઈ બાવરવાની માંગ


SHARE











ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ કરવા કાંતિભાઈ બાવરવાની માંગ

મોરબી જીલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ ખેતરમાંથી ઉપાડી લીધેલ છે અને ખેડૂતોના ઘરમાં કપાસ પડ્યો છે તો પણ હજુ સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવામાં આવેલ નથી માટે ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવેલ છે જો કે, કપાસની ખરીદી કરવામાં આવતી નથી જેથી તાત્કાલિક કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ કરી છે અને આ અંગે તેઓએ મુખ્યમંત્રીને  પત્ર પણ લખ્યો છે.

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે,  સૌરાષ્ટ્રમાં મોટા ભાગે ખેડૂતો  કપાસનું વાવેતર કરતા હોય છે. અને આ કપાસ દિવાળી પહેલા ખેતરમાંથી ઉપાડી લેવામાં આવે છે જેથી હાલમાં કપાસ ખેડૂતોના ઘરમાં પડ્યો છે. જેથી આર્થીક નબળા ખેડૂતો યાર્ડમાં કપાસ વેચવા માટે આવી રહ્યા છે તો પણ સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવામાં  આવેલ છે. પરંતુ હજુ સુધી ક્યાય પણ ટેકાના ભાવે કપાસની ખરીદી સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ નથી. જેથી ખેડૂત પાસેથી વહેલી તકે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આવું કરવામાં નહી આવે તો ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે રજુઅતો કરવામાં આવશે.






Latest News