ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ત્રિપાલ અકસ્માત સર્જીને ત્રણ વ્યક્તિના મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના નવલખી રોડે ત્રિપાલ અકસ્માત સર્જીને ત્રણ વ્યક્તિના મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શિવાંસ કોલ સામેથી પસાર થતી રીક્ષાના ચાલેકે બાઈક અને બુલેટને લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક, બુલેટ અને રીક્ષામાં જઈ રહેલા વ્યક્તિઓમાંથી કુલ મળીને ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા જે બનાવ સંદર્ભે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના મકરાણીવાસમાં રહેતા મહમદભાઈ હાજીભાઈ મુસાણી (40) નામના યુવાને સીએનજી રીક્ષા નંબર જીજે 39 યુ 0398 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી તેની રીક્ષા લઈને નવલખી રોડ ઉપર આવેલ શિવાંસ કોલ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીનો ભત્રીજો સમીર બાઈક નંબર જીજે 37 ક્યુ 2156 લઈને જતો હતો જ્યારે ઇમરાન અને તસ્લીમ બુલેટ નંબર જીજે 36 એચ 4949 લઈને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ચાલકે બાઈક અને બુલેટને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જેમાં ફરિયાદીના ભત્રીજા સમીર તથા બુલેટ ઉપર જઈ રહેલ ઇમરાનનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજયું હતુ જયારે તસ્લીમને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં રિક્ષામાં બેઠેલ રહીમ અવેશભાઇ સંધવાણી નામના વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું આમ અકસ્માતના બનાવમાં જુદા જુદા ત્રણ વાહનમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News