મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી :  માળીયાના ખીરઇ ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં મોત


SHARE







મોરબી :  માળીયાના ખીરઇ ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં મોત

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના ખીરઇ ગામના પાટિયા પાસે આગલા દિવસે મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પગપાળા રસ્તો ઓળંગી રહેલા એમપીના આદીવાસી મજુર યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

બનાવની માળીયા મીંયાણા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ખીરઇ ગામના પાટિયા પાસે તા.૧૨-૧૨ ના રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં રસ્તો ઓળંગી રહેલા નાહરીયાભાઈ મેસુભાઈ સિંગાળા (ઉમર ૪૦) રહે.હાલ નાગડાવાસ ગામના પાટિયા પાસે મૂળ રહે. માતાસુલા મત્સુલા ગામ તાલુકો રાનપુર મધ્યપ્રદેશ વાળાને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને ગંભીર ઇજાઓ થવાથી નાહપીયાભાઈ સિંગાલાનું મોત નિપજયુ હતુ.બનાવ સંદર્ભે મૃતકના સાળા અર્જુનભાઈ લાભુભાઈ ગણાવા ભીલ (૧૯) ધંધો મજૂરી હાલ રહે.નાગડાવાસના પાટીયા પાસે માળીયા મીંયાણા મૂળ સીમાખેડી ગણાવા ફળીયુ રાનપુર જાંબુવા એમપી વાળાએ માળીયા પોલીસ મથક ખાતે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાવતાં પીએસઆઇ એન.એચ.ચુડાસમાએ ફરિયાદ નોંધીને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને શોધવા સીસીટીવી ફુટેજ મેળવવા સહિત તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

વાહન અકસ્માત

હળવદના ટીકર ગામે રહેતા હંસાબેન શંકરભાઈ હડીયલ નામની ૨૪ વર્ષીય મહિલા ઘનશ્યામપુર રોડ ઉપરથી જતી હતી ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.






Latest News