મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ૨.૮૮૫ કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર


SHARE











મોરબીમાં ૨.૮૮૫ કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર

મોરબીમાં ૨ કીલો ૮૮૫ ગ્રામ (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીએ જામીન મુક્ત થવા માટે મોરબીની કોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતોને આધીન જામીન મંજૂર કરેલ છે. 

આ બનાવની ટુંકમાં વિગત એવી છે કે મોરબી પોલીસે ૨ કીલો ૮૮૫ ગ્રામ ગાંજા (કોમર્શીયલ કોન્ટેટી) ના આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા રહે. ભુલભુલૈયા બેલ તાલુકો ફરઘાના જીલ્લો લખીમપુર ખીરી ઉતરપ્રદેશ વાળાને મોરબી સીટી બી ડીવી. પોલીસે એન.ડી.પી.એસ.ના ગુનામાં પકડ્યો હતો અને કોર્ટમાં રજુ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્માએ રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી અને આ જામીન અરજી નામ. સેશન્સ કોર્ટમાં ચાલી ગયેલ હતી તેમાં વકીલ મનીષાભાઈ પી. ઓઝાએ કરેલ ઘારદાર દલીલ માન્ય રાખી સેસન્સ જજ કે.આર. પંડયા સાહેબે આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્માને શરતોને આધીન ૧૫,૦૦0 ના રેગ્યુ. જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના સીનીયર વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા.






Latest News