મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

તસ્કરો બેખોફ: માળીયા (મી)ના વેજલપર ગામે ત્રણ મકાન-બે મંદિરમાં ચોરી


SHARE











તસ્કરો બેખોફ: માળીયા (મી)ના વેજલપર ગામે ત્રણ મકાન-બે મંદિરમાં ચોરી

માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે રાત્રિના સમયગાળા દરમિયાન તસ્કરે ધામા નાખ્યા હતા અને ત્રણ મકાન તથા બે મંદિરને નિશાન બનાવ્યા છે તેમજ એક બાઈકની ચોરી કરવામાં આવી છે તેવી માહિતી ગ્રામજનો પાસેથી મળી રહી છે અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે

સામાન્ય રીતે તહેવારો નજીક આવે ત્યારે ચોરીની ઘટનાઓમાં વધારો થતો હોય છે તેવામા માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને હાલમાં ગ્રામજનો પાસેથી મળી રહેલ માહિતી મુજબ કિશોરભાઈ અંબારામભાઈ ભોરણીયા, વિનુભાઈ વીડજા તથા ચંદુલાલ કૈલાના રહેણાંક મકાનને નિશાન બનાવીને નાની મોટી રકમની ચોરી કરવામાં આવી છે તેમજ ગામમાં આવેલ હનુમાનજી મંદિર તથા રામદેવપીરના મંદિરમાંથી તસ્કરે ચોરી કરી છે અને ગામમાંથી એક બાઈકની પણ ચોરી કરેલ છે તેવી માહિતી ગ્રામજનો પાસેથી જાણવા મળેલ છે. અને જુદીજુદી જગ્યાએથી કુલ મળીને એકાદ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ચર્ચા વેજલપર ગામમાં ચાલી રહી છે આ ચોરીના બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ભોગ બનેલ વ્યક્તિની ફરિયાદ લેવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News