મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ત્રિમંદિર નજીક ઝેરી દવા પી ગયેલ માણેકવાડા ગામના યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીના ત્રિમંદિર નજીક ઝેરી દવા પી ગયેલ માણેકવાડા ગામના યુવાનનું સારવારમાં મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે ત્રિમંદિર નજીક યુવાને કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ હાથ ધરી છે

મોરબીના માણેકવાડા ગામે રહેતા હરેશભાઈ મનસુખભાઈ ચનિયારા (35) એ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ નજીક ત્રિમંદિર પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાને ટેન્શનમાં આવીને આ પગલું ભરી લીધેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા રામજીભાઈ જગાભાઈ પાંચિયા (33) નામના વ્યક્તિ જોધાપર  છાત્રાલય નજીકથી રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે કૂતરૂ આડું આવતા રિક્ષા પલટી મારી ગઈ હતી અને બનાવમાં ઇજા પામેલ રામજીભાઈને સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પી જતાં પરિણીતા સારવારમાં

મોરબી તાલુકાના કેરળા ગામે રહેતા ઉર્વશીબા જગદીશસિંહ જાડેજા (19) નામની પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાનો લગ્ન ગાળો એક વર્ષનો હોવાનું હાલમાં સામે આવ્યું છે.






Latest News