મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે રાહત દરે મીઠાઇ વિતરણ શરૂ


SHARE











મોરબી જલારામ મંદિર ખાતે રાહત દરે મીઠાઇ વિતરણ શરૂ

મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુદ્ધ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદિયા, બદામપાક, ગુંદપાકનું વિતરણ ચાલુ કરવામાં આવેલ છે.

દરવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુદ્ધ અમુલ ઘીમાંથી બનેલ સૂકામેવાથી ભરપુર અડદિયા, બદામપાક તથા ગુંદપાકનુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ ચાલુ કરવામાં આવેલ છે.અડદિયા, બદામપાક, ગુંદપાક મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અડદીયા, બદામપાક તથા ગુંદપાક વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામા આવશે.દરરોજ તાજા અડદીયાનું રૂા.૩૦૦ ના કિલોદીઠના ભાવે, બદામપાક રૂા.૨૨૦ ના અડધો કિલો લેખે તેમજ રૂા.૧૮૦ નો અડધો કિલો લેખે ગુંદપાકનું વિતરણ કરવામા આવશે. શુદ્ધ ઘીમાંથી બનેલ સુકામેવાથી ભરપુર અડદિયા મેળવવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી ખાતે સંપર્ક કરવો તેમ નિર્મિત કક્કડ (પ્રમુખ શ્રી જલારામ સેવા મંડળ) એ યાદીમાં જણાવેલ છે.






Latest News