ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાનું રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવી રહેલ વિભાજન રોકવા આમ આદમી પાર્ટીની માંગ


SHARE











માળિયા (મી) તાલુકાનું રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવી રહેલ વિભાજન રોકવા આમ આદમી પાર્ટીની માંગ

મોરબી જિલ્લાના માળિયા-મિયાણા તાલુકાનું રાજકીય કિન્નાખોરીથી વિભાજ  કરવા માટેની હિલચાલ ચાલી રહી છે અને માળીયા તાલુકો નાબુદ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે જેથી તેને અટકાવવા માળિયા (મી) શહેર આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને માળીયા તાલુકાનું વિભાજન અટકાવવા માટેની માંગ કરી હતી.

માળીયા (મી)  શહેર આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યુ હતું કે, માળિયા-મિયાણા તાલુકાનું વિભાજન કરીને અન્ય બે તાલુકા બનાવવા માટેની કવાયત ચાલી રહી છે. જેમાં માળિયા-મિયાણા તાલુકાને માત્ર 4-5 ગામડાઓથી જ સિમિત રાખવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેથી આવા નિર્ણયની સામે અત્યારથી જ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને આ ગામના લોકોને ધરાર નવા તાલુકાઓમાં સમાવવા માટેની કુટનીતિ ચાલી રહી છે. જો કે, વિકસિત અને સગવડોથી સજ્જ આમરણ (ચોવીસી) વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટીએ તાલુકા માટે યોગ્ય છે તો પણ તેને તાલુકાનો દરજ્જો કેમ આપવામાં આવી રહ્યો નથી. જો પીપળીયાની જગ્યાએ આમરણને નવા તાલુકા તરીકે જાહેર કરવામાં આવે તો મોરબી, માળિયા-મિયાણા અને જોડિયા તાલુકાના દુર દુર સુધીના અનેક ગામોના લોકોની સુખાકારીમાં વધારો થાય તેમ છે. જેથી માળિયા મિયાણા તાલુકાનું વિભાજન કરવું યોગ્ય ન હોય તેને યથાવત રાખીને વિકાસના પંથે લઇ જવામાં આવે અને નવા તાલુકાઓના ઉદ્ભવની બાબત સ્થગિત કરીને શહેરીજનો તથા તાલુકાના લોકો સહમત થાય પછી જ નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે. અને જો આમ કરવામાં નહીં આવે તો તાલુકાના તમામ લોકોને સાથે રાખીને આંદોલન કરાશે કરવાની આ ને કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.






Latest News