હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામગઢ ગામે પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી બાદ યુવાનને ન કરવાનું કરી નાખ્યું


SHARE











હળવદના ઘનશ્યામગઢ ગામે પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી બાદ યુવાનને ન કરવાનું કરી નાખ્યું

હળવદના ઘનશ્યામગઢ ગામે પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતે મનોમન લાગી આવતા યુવાને વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના પત્ની દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં રાયસંગપર ગામે નારણભાઈ શંકરભાઈ દલવાડીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સબીરભાઈ ઉર્ફે સમીર દૂરસિંભાઈ નાયક (27) નામના યુવાને ગત તા. 16/9/25 ના રોજ નાગરભાઈ પોપટભાઈની વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન ગઈકાલે તા. 3/10/25 ના રોજ બપોરે 2:00 વાગ્યાના અરસામાં તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પત્ની જારલીબેન સબીરભાઈ નાયક રહે હાલ રાયસંગપર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેની પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી અને તે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું છે જેની અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અલ્તાફ કાસમભાઇ (39) નામના યુવાનને ગાંધી ચોક પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી 






Latest News