મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ ખોલાયા


SHARE











મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ ખોલાયા

મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યારે આ પાણી મચ્છુ-3 ડેમમાં આવી રહ્યું છે જેથી કરીને આ ડેમ પણ આખો ભરેલ હોય પાણીને નદીમાં છોડવા માટે હાલમાં બે દરવાજાને સાડા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

મોરબીના મચ્છુ-3 ડેમના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના મચ્છુ-2 ડેમમાંથી નદીમાં પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે જેથી મચ્છુ 3 ડેમમાં તે પાણી આવી રહ્યું છે અને ડેમ હાલમાં આખો ભરેલ છે જેથી મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને 6573 કયુસેક પાણીની આવક સામે જાવક કરવામાં આવી રહી છે. અને ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું તે પહેલા મોરબી અને માળીયા તાલુકાનાં 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. અને જે ગામોને એલર્ટ કરવામાં આવેલ છે તેમાં મોરબી તાલુકાના નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી) , ગુંગણ, ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી.), હરીપર અને ફતેપર ગામનો સમાવેશ થાય છે.






Latest News