સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ ખોલાયા


SHARE











મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ ખોલાયા

મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યારે આ પાણી મચ્છુ-3 ડેમમાં આવી રહ્યું છે જેથી કરીને આ ડેમ પણ આખો ભરેલ હોય પાણીને નદીમાં છોડવા માટે હાલમાં બે દરવાજાને સાડા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

મોરબીના મચ્છુ-3 ડેમના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના મચ્છુ-2 ડેમમાંથી નદીમાં પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે જેથી મચ્છુ 3 ડેમમાં તે પાણી આવી રહ્યું છે અને ડેમ હાલમાં આખો ભરેલ છે જેથી મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને 6573 કયુસેક પાણીની આવક સામે જાવક કરવામાં આવી રહી છે. અને ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું તે પહેલા મોરબી અને માળીયા તાલુકાનાં 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. અને જે ગામોને એલર્ટ કરવામાં આવેલ છે તેમાં મોરબી તાલુકાના નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી) , ગુંગણ, ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી.), હરીપર અને ફતેપર ગામનો સમાવેશ થાય છે.






Latest News