મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ ખોલાયા


SHARE













મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ ખોલાયા

મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યારે આ પાણી મચ્છુ-3 ડેમમાં આવી રહ્યું છે જેથી કરીને આ ડેમ પણ આખો ભરેલ હોય પાણીને નદીમાં છોડવા માટે હાલમાં બે દરવાજાને સાડા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

મોરબીના મચ્છુ-3 ડેમના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના મચ્છુ-2 ડેમમાંથી નદીમાં પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે જેથી મચ્છુ 3 ડેમમાં તે પાણી આવી રહ્યું છે અને ડેમ હાલમાં આખો ભરેલ છે જેથી મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને 6573 કયુસેક પાણીની આવક સામે જાવક કરવામાં આવી રહી છે. અને ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું તે પહેલા મોરબી અને માળીયા તાલુકાનાં 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. અને જે ગામોને એલર્ટ કરવામાં આવેલ છે તેમાં મોરબી તાલુકાના નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી) , ગુંગણ, ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી.), હરીપર અને ફતેપર ગામનો સમાવેશ થાય છે.






Latest News