મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

અરેરાટી: મોરબીના જેતપર રોડે પેટ્રોલપંપ સામે ભારે વાહનના ચાલકે પાંચ ગૌવંશોને હડફેટે લીધી, ત્રણના સ્થળ ઉપર જ મોત


SHARE













મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે પેટ્રોલ પંપની સામેના ભાગમાં રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પાંચ જેટલા ગૌવંશોને હડફેટે લીધા હતા જેમાંથી ત્રણ જેટલા ગૌવંશોના ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેના મોત નિપજ્યા છે જેથી કરીને ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને ખાસ કરીને અવારનવાર આવી રીતે હાઇવે રોડ ઉપર ગૌવંશોને વાહન ચાલકો હડફેટે લઈને તેના મોત નીપજાવતા હોય છે જેથી કરીને આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી પણ લાગણી સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ નજીક સોમનાથ પેટ્રોલ પંપ પાસે રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ ભારે વાહનના ચાલકે રોડ ઉપરથી પસાર થતાં ગૌવંશોને હડફેટે લીધા હતા અને જેથી કરીને ત્યાં પાંચ જેટલા ગૌવંશોને ગંભીર ઇજાઓ થઈ હતી તે પૈકીના ત્રણ જેટલા ગૌવંશોના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હોવાની માહિતી સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળી રહે છે જોકે બે ગૌવંશોને ગંભીર ઈજા થઈ હોવાથી આ બાબતે જેતે લાગુ પડતી જગ્ય ઉપર તેમજ ગૌશાળામાં જાણ કરવામાં આવી છે અને અવારનવાર આવી રીતે હાઇવે ઉપર ગૌવંશને હડફેટે લઈને તેના મોત નિપજાવવામાં આવે છે. જેથી ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને રાત્રી દરમિયાન મોરબીના હાઇવે રોડ ઉપર બેફામ ગતિએ દોડતા ટ્રક ડમ્પર ટ્રેલર સહિતના વાહનચાલકોની ગતિને કંટ્રોલ કરવા માટે અને આવી ઘટનાઓને રોકવા માટે હાઇવે ટ્રાફિક પોલીસ તથા આરટીઓ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે.






Latest News