મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સાથે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સાથે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા દર વર્ષ દશેરાએ સન્માન સમારોહ તેમજ શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ વિજ્યા દશમીના દિવસે તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે સમાજના આગેવાનોના હસ્તે શિલ્ડ આપીને તેજસ્વી છાત્રોને સન્માનીત કરવામાં આવ્યા હતા.

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ ર્ડો. અનિલભાઈ મહેતા, મહામંત્રી ભુપતભાઇ પંડ્યા, મહેશભાઇ ભટ્ટ, નલિનભાઈ ભટ્ટ સહિતના આગેવાનોની હાજરીમાં વિજ્યાદશમી નિમિતે મોરબીના વાંકાનેર દરવાજા પાસે આવેલ ઔદીચ્ય જ્ઞાતિની ભોજનશાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, આજે બપોરથી મોરબી શહેરમાં વરસાદ ચાલુ હતો જેથી કરીને સમાજના લોકો કાર્યક્રમમાં આવશે કે કેમ તે પ્રશ્ન હતો પરંતુ સમાજના દીકરા દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે સમાજના આગેવાનો સહિતના લોકો વરસતા વરસાદે પણ કાર્યક્રમમા આવ્યા હતા અને ધો. 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સમાજના આગેવાનોના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા ત્યારે આગેવાનોએ સમાજના દીકરા અને દીકરીઓને વધુમાં વધુ શિક્ષિત કરવા માટે ટકોર કરી હતી. ત્યાર બાદ શસ્ત્ર તેમજ શાસ્ત્ર પૂજનનો પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પણ સમાજના આગેવાનો સહિતના લોકો જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ર્ડો. અનિલભાઈ મહેતા, મહામંત્રી ભુપતભાઇ પંડ્યા તથા પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્રભાઈ મહેતા તેમજ સર્વે ટ્રસ્ટી સહિતઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News