વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા-મહિકા ગામે જૂથ સેવા સહકારી મંડળીના આગેવાનોએ વડાપ્રધાનને લખ્યા પોસ્ટ કાર્ડ


SHARE











વાંકાનેરના જાલીડા-મહિકા ગામે જૂથ સેવા સહકારી મંડળીના આગેવાનોએ વડાપ્રધાનને લખ્યા પોસ્ટ કાર્ડ

મોરબી જિલ્લામાં સહકારી મંડળીઓ દૂધ મંડળીઓ તેમજ માર્કેટિંગ યાર્ડના સભ્યો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી સહકાર ક્ષેત્રના વિકાસ માટે આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખવામાં આવી રહ્યા છે. ત્યારે વાંકાનેર તાલુકાના જાલીડા અને મહિકા ગામે જૂથ સેવા સહકારી મંડળીઓના સભ્યોએ સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયો થકી સહકાર ક્ષેત્રે જે વિકાસ થયો છે તેના માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરવા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા. રાજકોટ ઝોન જોઈન્ટ રજિસ્ટ્રાર રીનાબેન પટેલ અને મોરબી જિલ્લા રજિસ્ટ્રાર બિમલ પટેલ સહકારી મંડળીના સભ્યોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સહકારી મંડળીના સભ્યોએ સહકાર ક્ષેત્રના વિકાસ માટે લેવામાં આવેલા મહત્વના નિર્ણયો, નીતિઓ તથા ખેડૂતોને સક્ષમ બનાવવા માટે અમલમાં બનાવવામાં આવેલી વિવિધ યોજનાઓ બદલ પોસ્ટ કાર્ડ થકી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.






Latest News