મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં મંગળવારે 17.29 કરોડના વિકાસ કામોનું કરાશે ખાતમુહૂર્ત અને સરદાર બાગનું લોકાર્પણ


SHARE











મોરબીમાં મંગળવારે 17.29 કરોડના વિકાસ કામોનું કરાશે ખાતમુહૂર્ત અને સરદાર બાગનું લોકાર્પણ

મોરબી મહાપાલિકા વિસ્તારમાં જુદાજુદા વિસ્તારોમાં વિકાસ કામો શરૂ કરવામાં આવનાર છે તેના માટે મંગળવારે 17.29 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે અને 1.03 કરોડના ખર્ચે નવા રંગરૂપ સાથે તૈયાર કરવામાં આવેલ સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવશે ત્યારે સાંસદો, ધારાસભ્યોએ સહિતના હાજર રહેશે.

મોરબીમાં મંગળવાર તા. 30/09 ના રોજ શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામેના ભાગમાં સાંજે 05:30 કલાકે નવા કામોનું ખાતમુહૂર્ત અને સરદાર બાગનું લોકાર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, વિનોદભાઈ ચાવડા અને કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહેશે તેમજ મોરબીના કલેક્ટર કે.બી. ઝવેરી, મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે.






Latest News