સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ આયોજિત સંકલ્પ નવરાત્રીમાં તમામ જ્ઞાતિની બહેનોને વિનામૂલ્યે એન્ટ્રી: તિલક ફરજિયાત


SHARE











મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ આયોજિત સંકલ્પ નવરાત્રીમાં તમામ જ્ઞાતિની બહેનોને વિનામૂલ્યે એન્ટ્રી: તિલક ફરજિયાત

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 16માં વર્ષે પણ સર્વ જ્ઞાતિ માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દર વખતની જેમ તમામ જ્ઞાતિની બહેનોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે અર્વાચીનની સાથે પ્રાચીન થીમ પર પણ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા  22થી 30 સપ્ટેમ્બર દરમિયાન રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં આ વર્ષે પણ બહેનોને નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવશે અને અહી આવતા તમામ લોકોને તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવશે. ખાસ કરીને મોરબી અને મુંબઈના ખ્યાતનામ કલાકારો પ્રાચીન અને અર્વાચિન ગરબા ગાઈને ખેલૈયાઓને મજા કરાવી દેશે. આ નવરાત્રી મહોત્સવમાં સમાજ સેવામાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવશે.

વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે સંકલ્પ નવરાત્રી મોરબીની સંસ્કૃતિ, સમરસતા અને એકતાનું પ્રતિક છે. આ નવરાત્રી મહોત્સવ આજે માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સમાજમાં સમરસતા, એકતા અને સાંસ્કૃતિક જતનનું સશક્ત મંચ બની ગયો છે. આ નવરાત્રી મહોત્સવનું મુખ્ય ધ્યેય માતા જગદંબાની આરાધના સાથે સમાજના દરેક વર્ગને જોડીને સાચા અર્થમાં એકતા અને ભાઈચારો સ્થાપવાનો છે. ખાસ કરીને અહી બહેનોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને મોટી સંખ્યામાં બાઉન્સરો રાખવામા આવશે. તેમજ અંબાજી, ચામુંડા, ખોડિયાર, મહાકાળી, આશાપુરા, મોમાઈ, રવેચી, મોગલ અને ઉમિયા માતાજીનાં મંદિરેથી ચુંદડી લાવી અહી રાખવામા આવશે અને તેનું પૂજન અર્ચન કરાશે. 






Latest News