મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે સ્મશાનમાં વૃદ્ધે અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીના મકનસર ગામે સ્મશાનમાં વૃદ્ધે અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામના સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઈને વૃદ્ધ આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકાનસર ગામે બેંક ઓફ બરોડા વાળી શેરીમાં રહેતા શંકરભાઈ સવાભાઈ સત્રોટીયા (૬૨) નામના વૃદ્ધે કોઈપણ કારણોસર મકનસર ગામે આવેલા સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની દિગ્વિજયસિંહ લાલુભા ઝાલા (૩૭) રહે. ભક્તિનગર મકાનસર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બાળક સારવારમાં

વાંકાનેર પાસેના માટેલ ગામે પંચમુખી સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારનો જય વિશાલભાઈ કશ્યપ નામનો દોઢ વર્ષનો બાળક ઘર પાસે હતો ત્યાં સાપ કરડી ગયો હોય મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ગામે રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અનસોયાબેન નાનાલાલ પંડ્યા નામના ૯૮ વર્ષના વૃદ્ધા જેતપુર ગામે બાઈકમાં પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થતા તેઓ પડી ગયા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે કોઠારીયા રોડ ઉપર રહેતા સિકંદરભાઈ મીનાપરા નામનો ૪૫ વર્ષનો યુવાન મોરબીના ઢુવા ગામ પાસે આવેલ માલધારી હોટલ ખાતેથી હાલ બેભાન હાલતમાં મળી આવેલો હોય તેને ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. જ્યારે વાંકાનેર તાલુકાના કેરાળા ગામના રીમીબેન ઉસ્માનભાઈ બાદી નામના ૬૫ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે કેરાળા ગામ નજીક બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામ્યા હોય સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.






Latest News