મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીના ટાઉનહોલમાં મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવવા રાજપૂત કરણી  સેનાની માંગ


SHARE











મોરબીના ટાઉનહોલમાં મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવવા રાજપૂત કરણી  સેનાની માંગ

મોરબી ખાતે રાજપૂત કારણી  સેના તેમજ મોરબી રાજપૂત સમાજ દ્વારા મોરબી નગર પાલિકા ચિફ ઓફિસરને આવેદન આપી ધારદાર રજુકરી હતી કે, મોરબી ટાઉનહોલના મુખ્ય દ્વાર ઉપર જે તે સમયે મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલનું બોર્ડ હતું જે હાલમાં નથી તેને ફરીથી મુખ્ય પ્રવેશદ્વાર અને ટાઉન હોલની અંદર મહારાજાનું બોર્ડ લગાવવામાં આવે તે જરૂરી છે મોરબી રાજપૂત કરણી સેનાએ જણાવ્યુ હતું કે, હાલ નગરપાલીકા ટાઉન હોલની ગ્યાં આવેલી છે તે મોરબી રાજવી પરિવારની હોઈ અને મોરબીની જનતાની સુખાકારી લોક હિતાર્થે રાજવી પરિવારે મહારાજાશ્રીની સમૃતિ સતત પ્રજા વચ્ચે રહે એવા હેતુથી ટાઉન હોલમાં મહારાજા મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવેલું રાખવામાં આવે તેવી માંગ કરેલ છે મોરબી નગરપાલિકાએ જઈને પાલિકાના  ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે રાજપૂત કારણી સેનાના મોરબી જિલ્લા પ્રભારી દશરથસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી રાજપૂત સમાજ પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ રાજભા ઝાલા, યશવંતસિંહ ઝાલા તેમજ રાજપૂત કારણી સેના મોરબી જિલ્લા તેમજ શહેરના હોદેદારો સુખુદેવસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, યોગીરાજસિંહ ઝાલા, ઓમદેવસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, મહિરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા






Latest News