મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત


SHARE













મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત

મોરબીના લાલપર ગામ પાસે ઓનેસ્ટ હોટલ સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા આધેડને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે આધેડનું મોત નીપજયું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા રાજકુમાર રાજારામ વર્મા (52) નામના આધેડ ગત તા. 13/9 ના રોજ લાલપર નજીક આવેલ ઓનેસ્ટ હોટલ સામે હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

એક જ પરિવારના 6 લોકો સારવારમાં

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડ (40), તેના પત્ની હેમાબેન સુરેશભાઈ રાઠોડ (36), બીકુબેન સુરેશભાઈ રાઠોડ (18), નેહલબેન સુરેશભાઈ રાઠોડ (16), સિધ્ધરાજ સુરેશભાઈ રાઠોડ (10) અને પ્રિયાંશી સુરેશભાઈ રાઠોડ (3) નામના એક જ પરિવારના છ વ્યક્તિઓને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા સ્પ્રે છાંટી દીધો હતો જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા રામભાઈ જીવાભાઇ ડાંગર (51) નામના આધેડ ચાચાપર રામેશ્વર ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓને કૂતરું આડુ આવતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેઓને ઇજા થયેલ હતી જેથી મોરબીમાં તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News