વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી


SHARE











મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીના મિશન નવભારત ગૃપના મહામંત્રી મયૂરભાઈ મહેતા દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.મયૂરભાઈ તરફથી મોરબીના ટંકારા તાલુકાની ઉમિયાનગર પ્રાથમિક શાળાના તમામ બાળકોને વયકક્ષા મુજબ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.સરકારી શાળામાં ભણતા આ બધા બાળકો જરૂરીયાતમંદ શ્રમિક પરિવારમાંથી આવતા હોય તેમને આ શૈક્ષણિક કીટ થકી અભ્યાસમાં બહુ જ મોટો ફાયદો થશે.ઉલ્લેખનીય છે કે મિશન નવભારતના દરેક સભ્યો આ રીતે કોઈને કોઈ સેવાકીય કાર્યો દ્વારા જ‌ પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે જે અત્યંત પ્રેરણાદાયક છે.આજરોજ કરવામાં આવેલ આ સેવાકાર્યમાં સાથે મિશન નવભારતના જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ તથા મોરબી તાલુકા ઉપપ્રમુખ બળવંતભાઈ આંબલીયા પણ સાથે જોડાયા હતા.આ તકે બાળકોને શૈક્ષણિક કીટ થકી મદદ કરવા બદલ ઉમિયાનગર શાળા પરિવારે પણ મયૂરભાઈ તથા મિશન નવભારતનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News