મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીનો ઘોડાધ્રોઇ ડેમ સો ટકા ભરાયો, 1 દરવાજો 3 ઇંચ ખોલાયો, 13 ગામ એલર્ટ કરાયા


SHARE







મોરબી તાલુકાનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે જેથી કરીને હાલમાં તે ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ  સુધી ખોલવામાં આવ્યો છે અને ડેમનો દરવાજો ખોલતા પહેલાં નીચાણ વાળા વિસ્તારમાં આવતા મોરબીના 10 અને માળિયાના 3 જેટલા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

છેલ્લા દિવસોમાં પડેલા વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે અને દરમિયાન મોરબી તાલુકાના જીકયારી ગામ પાસે આવેલ ધોડા ધ્રોઈ ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાઈ ગયો છે જેથી કરીને સિંચાઈ વિભાગ દ્વારા આ ડેમના એક દરવાજાને ત્રણ ઇંચ સુધી ખોલવામાં આવ્યો છે અને સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે ડેમના દરવાજાને ખોલતા પહેલા નીચાણ વાળા વિસ્તારમાં આવતા જીક્યારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર અને રાપર ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને નદીના પટમાં ન જવા માટે તેને સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત માળિયા તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચીખલી ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે વધુમાં મળતી પ્રમાણે હાલમાં ડેમમાં 299 કયુસેક પાણીની આવક ચાલી રહી છે જેની સામે પાણીની જાવક ચાલુ રાખીને ડેમમાંથી નદીમાં પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.






Latest News