મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા પાસેથી કતલખાને લઈ જવાતા 13 ઘેંટા-બકરાને ગૌરક્ષકોએ બચાવ્યા


SHARE













મોરબીના ટિંબડી પાટીયા પાસેથી કતલખાને લઈ જવાતા 13 ઘેંટા-બકરાને ગૌરક્ષકોએ બચાવ્યા

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થતી મહિન્દ્રા જીતો ગાડીને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 13 ઘેટા બકરા ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી ગાડીમાં બેઠેલા બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ગૌરક્ષકોને મળેલી બાતમી આધારે વોચ રાખવામાં આવી હતી ત્યારે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલ મહેન્દ્રા જીતો ગાડી નંબર જીજે 17 યુયુ 6759 ને રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરી હતી ત્યારે તેમાં 10 બકરા અને 3 ઘેટા ક્રૂરતા પૂર્વક બાંધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી મહેન્દ્રનગર ગામે રહેતા વિવેકભાઈ વેલજીભાઈ અઘારા (26)ની ફરિયાદ લઈને પોલીસે ગાડીમાં બેઠેલા શબ્બીરભાઈ મહમદહનીફ શેખ (30) રહે. હેમલાફળિયું બાપુની દરગાહ પાસે અંજાર અને ધારીભાઈ બચુભાઈ જીલીયા (45) રહે. ત્રાજપર ચોકડી પેટ્રોલ પંપ પાછળ ઝૂંપડામાં મોરબી વાળાની સામે ગુનો નોંધી બંનેને પકડીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 ફિનાઇલ પી જતાં સારવારમાં

મોરબીના સાયન્ટિફિક વાળી રોડ ઉપર આવેલ શિવ સોસાયટીમાં રહેતા અમીનાબેન સતારભાઈ કાસમણી (50) નામના આધેડ મહિલાએ કોઈ કારણોસર ફીનાઇલ લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારી

વાંકાનેર નજીકના મેસરીયા ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં માનુંબેન હીરાભાઈ ખાંભલીયા (65) અને મહેશભાઈ હીરાભાઈ આંબલીયા (30) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News