મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે
Breaking news
Morbi Today

મોરબીના હરિહર  ધામ ખોખરા હનુમાન મંદિર ખાતે કાલે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન


SHARE











મોરબીના હરિહર  ધામ ખોખરા હનુમાન મંદિર ખાતે કાલે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન

મોરબીના બેલા ગામ પાસે આવેલ હરિહર  ધામ ખોખરા હનુમાન મંદિર ખાતે તા 24 ને રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવીજી  અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યું છે અને આ કેમ્પનો મોરબી, માળિયાના નેશનલ હાઈવે ઉપર આવેલા ગામોમાંથી વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તેના માટે નવા બસ સ્ટેશનથી ખોખર હનુમાન મંદિર અને માળિયા તાલુકા પંચાયતથી ખોખરા હનુમાન મંદિર જવા માટે સવારે  ૭-૩૦,૮-૩૦અને ૯-૩૦  કલાકે એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી માળિયા  હાઈવે ઉપર આવેલ તમામ ગામના લોકોને આ સેવાનો લાભ લેવા માટે આયોજકો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી.






Latest News