જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી આર્ટસ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી


SHARE









મોરબી આર્ટસ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આચાર્ય ડો.રામભાઈ વારોતરીયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર એવા ડૉ. રાજપૂતે ઇનોવેશન ક્લબની  વિગતવાર માહિતી તેમજ ઉદ્યોગ સાહસિકતા દિવસ અંગેની, ઉદ્યોગો અંગેની જાણકારી વિદ્યાર્થી ભાઈ બહેનોને આપી હતી. તો ડો. નાજાભાઇ કોડીયાતરે IIC ક્લબ અંતર્ગત ઇનોવેશન કઈ રીતે થઈ શકે તે અંગે વિદ્યાર્થીઓને અનેક દ્રષ્ટાંતો દ્વારા સમજૂતી આપેલ અને સ્ટાર્ટઅપ કઈ રીતે કરી શકાય તે વાત વિગતવાર જણાવી હતી.  કાર્યક્રમના મુખ્ય વક્તા ડો.અતુલ ધ્રુવે ઉદ્યોગ સાહસિકતા અંતર્ગત તેમણે ગાંધીનગર કેસીજી ખાતે લીધેલી ટ્રેનિંગ બાબતે તેમજ હાલના સમયમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો નાના-નાના ઉદ્યોગથી આરંભ કરીને વિવિધ પ્રકારના વ્યવસાયો ક્ષેત્રે પ્રગતિ કરી શકે અને સાહસ દેખાડી શકે તે બાબતે વ્યાખ્યાન પૂરું પાડ્યું હતું. તો કાર્યક્રમના અધ્યક્ષ રામભાઈએ પૂર્વ તૈયારીથી રજૂ થયેલ ત્રણેય તજજ્ઞ વક્તવ્યોને બિરદાવ્યા હતા. અને વિદ્યાર્થીઓને તેમાંથી બોધપાઠ લેવા સૂચવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા.ડો.કવિતાબા ઝાલા એ કર્યું હતું.






Latest News