મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કેદની સજા તથા બમણી રકમનો દંડનો હુકમ કરતી કોર્ટ


SHARE











મોરબીમાં ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કેદની સજા તથા બમણી રકમનો દંડનો હુકમ કરતી કોર્ટ

મોરબીમાં ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવાનો મોરબી કોર્ટએ હુકમ કર્યો છે.

કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મોરબીના વતની પ્રશાંતભાઈ દેવજીભાઈ પરમારે, આરોપી નવી પીપળી, તા. મોરબીના વતની વિજયભાઈ ડાયાલાલ પારેથીને સપ્ટેમ્બર, ૨૦૨૩ માં, હાથ ઉછીની રકમ રૂા.૪,૦૦,૦૦૦ આપેલ અને આ રકમ પરત ચૂકવવા માટે આરોપી વિજયભાઈ ડાયાલાલ પારધી એ રૂા.૪,૦૦,૦૦૦ નો એક ચેક ફરીયાદીને આપેલ અને આ ચેક ફરીયાદીએ નાણા વસુલવા તેના ખાતામાં રજુ કરતા, ચેક વણચૂકવ્યો પરત થતા, ફરીયાદી પ્રશાંતભાઈએ વિજયભાઈને નોટીસ આપેલ છતાં તેણે ફરીયાદીને ચેકની રકમ વસુલ ન આપતા, ફરીયાદી પ્રશાંતભાઈએ, વિજયભાઈ વિરૂધ્ધ મોરબી કોર્ટમાં, ફોજદારી ફરીયાદ દાખલ કરેલ અને આ કેસ ચાલી જતા, ફરીયાદ પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ નામ.હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે.ત્રીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યમલ મેજીસ્ટ્રેટ શ્રીમતી સી.વાય.જાડેજા મેડમે વિજયભાઈ ડાયાલાલ પારઘી ને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી બમણી રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી રકમ ચૂકવ્યા સુધી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચૂકવી આપવાનો અને તેમ કરવામાં કસૂર કર્યે વધુ ૯૦ દિવસની સજા ફરમાવવાનો અતિ મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રવી કે.કારીયા, મનીષ કે.ભોજાણી, દયારામ એલ.ડાભી અને અતુલ સી.ડાભી રોકાયેલ હતા.






Latest News