ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામ નજીક કારખાનામાં ખુરશી ઉપર બેઠા મોબાઈલ જોતાં સમયે ઢળી પડેલ તરુણનું મોત


SHARE











માળીયા (મી)ના ખાખરેચી ગામ નજીક કારખાનામાં ખુરશી ઉપર બેઠા મોબાઈલ જોતાં સમયે ઢળી પડેલ તરુણનું મોત

માળીયા (મી)ના ખાખરેચી ગામની સીમમાં આવેલ કારખાનામાં તરુણ ખુરશી ઉપર બેઠો હતો અને મોબાઈલ જોઈ રહ્યો હતો દરમિયાન અચાનક તે બેભાન થઈને ઢળી પડતા તેને જેતપર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જે બનાવ અંગેની મૃતક તરુણના પરિવરન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં માળીયા (મી)ના ખાખરેચી ગામની સીમમાં આવેલ એકસજીસન વિટ્રીરીફાઈડ નામના સિરામિક કારખાનામાં હેતો રામુકુમાર કેદારકુમાર રાજભર (17) નામનો તરુણ ગત તા. 12/8 ના રોજ સાંજના સાતેક વાગ્યે અરસામાં કારખાને ખુરશી ઉપર બેઠા બેઠા મોબાઈલ જોઈ રહ્યો હતો દરમિયાન તે અચાનક બેભાન થઈને ઠળી પડતા તેને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તે તરુણને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની રોહિતકુમાર તીમલકુમાર રાજભર (21) રહે. એક્સજીસન સીરામીક લેબર કવાર્ટર ખાખરેચી માળિયા મૂળ રહે. યુપી વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News