પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું
Breaking news
Morbi Today

મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તમાં આવતો પુલ જીવલેણ અકસ્માત સર્જે તેવી દહેશત


SHARE







મોરબીના ગાળાથી શાપર જતાં રસ્તમાં આવતો પુલ જીવલેણ અકસ્માત સર્જે તેવી દહેશત

મોરબી તાલુકાનાં ગાળા ગામથી શાપર તરફ જવાના રસ્તા ઉપર પુલ આવેલ છે જે પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાથી ગામના લોકો તેમજ ગાળા અને જેતપર રોડ ઉપર ઓધ્યોગિક વિકાસ થયો હોવાથી ત્યાં રોજગારી માટે જતાં લોકો તેમજ કાચો માલ અને તૈયાર માલ લઈને નીકળતા વાહન ચાલકો પોતાના જીવના જોખમે આ પુલ ઉપરથી પસાર થાય છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં જર્જરિત પુલ ઉપર સાઇડમાં પડેલ ગાબડું દિન પ્રતિદિન મોટું થઈ રહયું છે ત્યારે આ જર્જરિત પુલ ગમે ત્યારે લોકો માટે જોખમ રૂપ બની શકે છે તેથી કરીને આ પુલની જગ્યાએ ૧ર મીટર પહોળો ૪.રપ કરોડનો નવો પુલ બનાવવા માટેના કામને રાજય મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અગાઉ મંજૂર કરાવ્યુ છે તે કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તે જરૂરી છે  






Latest News