મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા બે પાડાને બચાવ્યા


SHARE













મોરબીના ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા બે પાડાને બચાવ્યા

મોરબી નજીકથી ભેંસના બે પાડાને રિક્ષામાં કતલખાને લઈ જતાં હતા ત્યારે ગૌરક્ષકોએ રિક્ષાને પકડીને અબોલ જીવને બચાવી લીધેલ છે અને બંને પાડાને પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે જો કે, રિક્ષા અને આરોપી બન્ને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદને બાતમી આધારે ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી ત્યારે કચ્છ બાજુથી આવી રહેલ સીએનજી રીક્ષાને રોકવામાં આવી હતી અને ચેક કરી હતી ત્યારે તેમાંથી બે ભેસના પાડા મળી આવ્યા હતા જે અબોલ જીવને કતલ ખાને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી ગૌરક્ષકોએ જીજે 36 ડબલ્યુ 0655 રિક્ષા તેમજ ભરેલ અબોલ જીવને છોડાવવામાં આવ્યા અને તે અબોલ જીવને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે અને વાહન તેમજ આરોપીને પોલીસ હવાલે કરીને ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કરેલ છે.






Latest News