મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક કારખાનેદારે ચાર ભાગીદાર તેમજ મહિલા સહિત 6 લોકોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને કર્યો આપઘાત: સુસાઇટ નોટના આધારે ગુનો નોંધાયો


SHARE







મોરબી રહેતા કારખાનેદારની જાણ બહાર તેના ભાગીદારોએ તેના નામે ઉઘરમાં માલની ખરીદી કરી હતી જેથી કરીને યુવાને તેના ભાગીદારો પાસેથી ધંધાના દેણાના રૂપીયા 4.30 કરોડ માંગતા હતા તેને ધમકી આપવામાં આવતી હતી. અને તે યુવાનને અમદાવાદની એક મહિલા સાથે પ્રેમ સબંધ હોય તેને બે વ્યક્તિ દ્વારા ઇમોશનલ બ્લેક મેઇલ કરીને ધમકી આપવામાં આવી હતી અને તેની પાસેથી પૈસા પડાવીને માનસીક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો જેથી યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેની મોત નીપજયું હતું જો કે, મૃતકે સુસાઇટ નોટ લખી હતી જેમાં તેના ચાર ભાગીદાર તેમજ મહિલા સહિત 6 લોકોના નામ જોગ ઉલ્લેખ કર્યો છે તેના આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ટંકારા તાલુકાનાં ઉમિયાનગર ગામે રહેતા પ્રકાશભાઇ કુંવરજીભાઈ ભાડજા (42) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમીતભાઈ વશરામભાઇ ચારોલા, ભાવેશભાઇ બાબુભાઇ વીડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઇ હરખાભાઇ સાણંદીયા રહે.બગથળા, અમદાવાદની એક મહિલા અને અર્ચીતભાઇ મહેતા રહે. ગાંધીનગર ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના બનેવી અને સાળા અશોકભાઇ નાનજીભાઈ પાડલિયા (42) રહે. લક્ષ્મીનાયારણ સોસાયટી એકતા પેલેસ-એ ફ્લેટ નં.201 ગોલ્ડન માર્કેટ પાછળ રવાપર વાળાને ગઇકાલે ઝેરી દવા પી લેતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું જો કે, તેની ફરિયાદીના સાળાએ લખધીરપૂર રોડ ઉપર આવેલ ગ્લેર સીરામીક નામના કારખાના ધંધાકીય રીતે આરોપી અમીતભાઈ વશરામભાઇ ચારોલા, ભાવેશભાઇ બાબુભાઇ વીડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઇ હરખાભાઇ સાણંદીયા સાથે ભાગીદારી કરી હતી અને કારખાનું શરૂ કર્યું હતું જેમાં રો-મટિરિયલ્સની ખરીદીનું કામ અશોકભાઇ સંભાળતા હતા અને હિસાબ બીપીનભાઈ રાખતા હતા જો કે, ધંધામાં ખોટ ગઈ હતી જેથી ચારેય ભાગીદારના કહેવાથી ફરિયાદીના સાળાએ રૂપિયાની વ્યવસ્થા કરી હતી જો કે, કોરોના સમયે અશોકભાઈના પિતાનું અવસાન થયું હતું જેથી તે કારખાને ગયા ન હતા અને ત્યારે બાકીના ચારેય ભાગીદારોએ તેના નામે ઉઘારમાં માલ માંગવીને ટાઇલ્સનુ ઉત્પાદન અને બહારથી મગાવેલ રો-મટીરીયલ વેચી નાખ્યું છે. અને ફરિયાદીના સાળા ભાગીદારો પાસેથી ધંધાના દેણાના રૂપીયા 4.30 કરોડ માંગતા હતા જેથી તેઓને તેના ભાગીદારો ધાક ધમકી આપતા હતા અને અમદાવાદની મહિલા આરોપી સાથે ફરિયાદીના મૃતક સાળા અશોકભાઇને પ્રેમ સબંધ હોય જેનો ફાયદો ઉઠાવીને તે મહિલા અને અર્ચીતભાઇ મહેતા રહે. ગાંધીનગર વાળાએ ભેગા મળી ફરિયાદીના સાળાને ઇમોશનલ બ્લેક મેઇલ કરીને ધમકી આપી હતી અને તેની પાસેથી પૈસા પડાવીને માનસીક ત્રાસ આપ્યો હતો અને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હતી જેથી ફરિયાદીના સાળાને માનસીક ત્રાસ અને ધમકી આપીને મરવા માટે મજબુર કરતા તેણે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જો કે, મૃતક યુવાને એક સુસાઇટ નોટ લખી હતી જેમાં તમામ આરોપીઓના નામનો ઉલ્લેખ કર્યો છે જેથી તેના આધારે હાલમાં મૃતકના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ભારતીય ન્યાય સંહીતા-2023 ની કલમ- 108, 351 (2), 54 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News