મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

હળવદના બુટવડામાં માલીકીની જમીન ઉપર દબાણ કરનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE







હળવદના બુટવડામાં માલીકીની જમીન ઉપર દબાણ કરનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

હળવદમાં રહેતા યુવાનની બુટવડા ગામની સીમમાં જમીન આવેલ છે જેના ઉપર વેગડવાવ ગામના બે શખ્સોએ દબાણ કરી લીધે છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં બંને શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદમાં આવેલ ભાડીયાકુવા પાસે બસ સ્ટેન્ડ રોડ ઉપર રહેતા વિજયકુમાર વ્રજલાલ અનડકટ જાતે ઠક્કર (ઉ.વ.૪૨)એ વિરજીભાઈ અમરશીભાઈ દલવાડી અને ઠાકરશીભાઈ વિરજીભાઈ દલવાડી રહે. બંને વેગડવાવ તાલુકો હળવદ વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૦૨ થી આજદિન સુધી હળવદ તાલુકાનાં બુટવડા ગામની સીમમાં આરોપી વિરજીભાઈ અમરશીભાઈ દલવાડીએ તેઓની માલીકીની બુટવડા ગામની સીમના રેવન્યુ સવૅ નં.૧૨૯ પૈકી ૧ વાળી જમીન હે.આર.ચો.મી. ૨-૫૪-૯૫ વાળી જમીન પર ગેર કાયદેસર કબજો કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી છે અને ઠાકરશીભાઈ વિરજીભાઈ દલવાડીએ બુટવડા ગામની સીમના રેવન્યુ સવૅ નં.૧૨૯ પૈકી ૨ વાળી જમીન હે.આર.ચો.મી. ૨-૫૪-૯૫ વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે અને તે કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી  છે જેથી યુવાનને બંને શખ્સોની સામે જુદીજુદી ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં બંનેની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીઑને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News