વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: ટંકારાના કલ્યાણપરમાં હાર્ટ એટેકથી આધેડનું મોત


SHARE











મોરબીમાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: ટંકારાના કલ્યાણપરમાં હાર્ટ એટેકથી આધેડનું મોત

મોરબીની અણીયારી ચોકડી નજીક આવેલ પેપર મીલના કારખાનામાં કામ કરતાં શ્રમિકને પેટમાં અચાનક દુખાવો પડતાં સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે ટંકારાના કલ્યાણપર ગામે રહેતા આધેડ ઘરના ફળિયામાં ઊભા હતા ત્યારે હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજ્યું હતું

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં અણીયારી ચોકડી નજીક આવેલ લેમીટ પેપર મિલ ખાતે રહેતા અને મજૂરી કામ કરતા સુનિલકુમાર લક્ષ્મીપ્રસાદ વિશ્વકર્મા (38)ને ગત તા 4/8 ના રોજ અચાનક પેટમાં દુખાવો ઉપાડતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈ અતુલભાઇ લક્ષ્મીપ્રસાદ વિશ્વકર્મા (38) રહે. મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ ઉપર આઈસાબા પીરની દરગાહ પાસે રહેતા ફતેમામદભાઇ મુસાભાઇ જસરાયા (57) નામના આધેડ ઘરના ફળિયામાં ઊભા હતા ત્યારે હાર્ટ એટેક આવી જવાના કારણે તે વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News