મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના આગેવાનને નર્મદાના નીર થકી સૌરાષ્ટ્રના ડેમો ભરવા કરી મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબીના આગેવાનને નર્મદાના નીર થકી સૌરાષ્ટ્રના ડેમો ભરવા કરી મુખ્યમંત્રીને રજૂઆત

હાલમાં વરસાદની સિઝન છે ત્યારે નર્મદા ડેમ છલકાશે અને તે પહેલા તેના પાણીથી સૌરાષ્ટ્રના અન્ય ડેમો ભરવામાં આવે તેવી મોરબીના અગ્રણી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

વધુમાં તેઓના જણાવ્યા પ્રમાણે હાલમાં નર્મદા ડેમ કેચમેન્ટ એરિયાના વરસાદના કારણે ડેમમાં પાણી આવેલ છે.અને વધારાનું પાણી ગેઇટ ખોલીને બહાર કાઢવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ સૌરાષ્ટ્રમાં વરસાદની કમીના કારણે ઘણા ડેમો ખાલી છે.તેથી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ કે.ડી.બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલને પત્ર લખીને માંગ કરેલ છેકે સરકાર દ્વારા સૌની યોજના બનવવામાં હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં જે પાણી દરિયામાં જઈ રહ્યું છે.તેના બદલે કેનાલ અને સૌની યોજનાની પાઇપ લાઇનો દ્વારા સૌરાષ્ટ્રના ડેમો ભરવામાં આવે તેવી અમારી માંગણી છે.જે પાણી દરિયામાં જઈ રહ્યું છે.તેને બદલે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણી તરીકે ઉપયોગ થઇ શકે તેમ છે.તો તાત્કાલિક નિર્ણય લઈને નર્મદાના નિરથી સૌરાષ્ટ્રના ડેમો ભરવા યોગ્ય કરવા પગલાલેવાવા જોઇએ.






Latest News