ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા (મિં.)ના વાધરવા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











માળીયા (મિં.)ના વાધરવા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ નર્મદાની કેનાલમાં કોઈ કારણોસર ડૂબી જવાના કારણે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજસ્થાનના પાલી જિલ્લાના બેડા ગામના રહેવાસી સુરપાલસિંગ વીરસિંગ તનવર (૨૨) નામનો યુવાન માળિયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ નવકાર કોર્પોરેશન કંપનીની પાછળના ભાગમાં આવેલ નર્મદાની પાણીની કેનાલમાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ મૃતક યુવાનોનો ભાઈ વિક્રમસિંગ તનવર તેના ભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ફડસર ગામ પાસે વાહન અકસ્માત બનાવમાં ઈજા પામતા અબ્દુલભાઈ આમદભાઈ જામ (૪૦) રહે.જામનગર ને અત્રે સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી કંડલા બાયપાસ એ.જે.માઇક્રોન નજીકથી બાઇક લઈને જતા સમયે રસ્તામાં કૂતરું આડુ ઉતરતા બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં સંજયભાઈ શાંતિલાલ જેઠલોજા (૫૬) રહે.અવધ સોસાયટી શેરી નંબર-૪ નાની કેનાલ રોડ ઇજાગ્રસ્ત થયેલા હોય તેઓને અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ઘુંટુ ગામે રહેતા નરભેરામભાઇ નરસીભાઈ સોરીયા નામના ૭૫ વર્ષના વૃદ્ધ બાઈક પાછળ બેસીને ખેતરએ જતા હતા ત્યારે ખેતર નજીક બાઇકમાંથી પડી જતા ઈજા પામતા અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.





Latest News