મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે કામ ધંધો ન કરીને દેણું કરતાં ભાઈની ભાઈએ કરી હત્યા: આરોપીની ધરપકડ


SHARE











મોરબીના રાજપર ગામે કામ ધંધો ન કરીને દેણું કરતાં ભાઈની ભાઈએ કરી હત્યા: આરોપીની ધરપકડ

મોરબીના રાજપર ગામે રહેતો યુવાન કામ ધંધો કરતો ન હતો અને હાથ ઉછીના રૂપિયા બીજા પાસેથી લઈને જલસા કરતો હતો અને દેણું કરતો હતો જેથી તે યુવાનના પિતાએ 10 વીઘા જેટલી જમીન વેચી નાખી હતી છતાં પણ તે યુવાન ગામમાં દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા તે યુવાનના મોટા ભાઈએ આવેશમાં આવીને યુવાનને માથા, કપાળ અને ડોકની આગળ તથા પાછળના ભાગે લાકડી વડે તથા શાક સુધારવાના ચપ્પા વડે મારમારીને ગંભીર ઇજા કરી હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના બહેનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં યદુનંદન 19/22 ખોડીયાર પાનવાડી શેરી માં રહેતા ભાવનાબેન નિલેશભાઈ ભીમાણી (42)એ તેના સગા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારા રહે. રાજપર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાજપર ગામે તેઓના પિતા મોહનભાઈ અઘારા, ભાઈ મહેશભાઈ અને પ્રવીણભાઈ રહે છે અને તેનો ભાઈ પ્રવીણ કોઈ કામ ધંધો કરતો ન હતો અને બીજા લોકો પાસેથી હાથ ઉંચીને પૈસા લઈને જલસા કરતો હતો અને તેનું દેણું અગાઉ એક વખત તેના પિતાએ ભરવા માટે થઈને પોતાની 10 વીઘા જમીન વેચી નાખી હતી તેમ છતાં પણ પ્રવીણ કોઈ કામ ધંધો કરતો ન હતો અને બીજા લોકો પાસેથી ઉછીના રૂપિયા લઈને દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા મહેશભાઈએ આવેશમાં આવીને માથા, કપાળ અને ડોકની આગળ તથા પાછળના ભાગે લાકડી અને શાક સુધારવાના ચપ્પા વડે મારમારીને ગંભીર ઇજા કરી હતી જેથી પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા (37)નું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનની બહેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી મહેશભાઈ મોહનભાઈ અઘારા રહે. રાજપર વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News