મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી :આબુ રોડ પર અકસ્માતે ઘવાયેલા રફાળેશ્વરના 36 વર્ષીય યુવાનનું સારવારમાં રાજકોટ ખાતે મોત


SHARE







મોરબી :આબુ રોડ પર અકસ્માતે ઘવાયેલા રફાળેશ્વરના 36 વર્ષીય યુવાનનું સારવારમાં રાજકોટ ખાતે મોત

મૂળ રફાળેશ્વર પણ પરિવારથી અલગ લાલપરના ફ્લેટમાં રહેતો અશોક રાઠોડને ગત 26મીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો: પ્રાથમિક તપાસમાં પરિવારનું માનવું છે કે, કદાચ બાઈક સ્લીપ થયું હશે, જોકે તેની સાથે ફરવા કોણ કોણ મિત્રો ગયા હતા તેની જાણકારી આજદિન સુધી ન મળતા રહસ્ય ઘેરાયું

આબુ રોડ પર અકસ્માતે ઘવાયેલા મોરબીના રફાળેશ્વરના 36 વર્ષીય યુવાનનું સારવારમાં રાજકોટ ખાતે મોત થયું છે.મૂળ રફાળેશ્વર પણ પરિવારથી અલગ લાલપરના ફ્લેટમાં એકલા રહેતો અશોક રાઠોડને ગત 26/7 ના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

પ્રાથમિક તપાસમાં પરિવારનું માનવું છે કે, કદાચ બાઈક સ્લીપ થયું હશે, જોકે તેની સાથે ફરવા કોણ કોણ મિત્રો ગયા હતા ? તેની જાણકારી આજદિન સુધી ન મળતા રહસ્ય ઘેરાયું છે.

પોલીસને મળેલ પ્રથમ નોંધ મુજબ, અશોકભાઈ દલાભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 36, રહે.રફાળેશ્વર ગામ તા. જી. મોરબી) તારીખ 25 ના રોજ મોટરસાયકલ લઈને જતો હતો.ત્યારે સિરોહી આબુરોડ ઉપર અકસ્માત થતા ઈજા થઈ હતી.આ પછી તેને મોરબી લવાયો હતો. ત્યાં સારવાર અપાઈ હતી.પછી વધુ સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તા.26 /7 ના રોજ દાખલ કરવા આવ્યો હતો.સારવાર દરમિયાન તા.1/8 ના રોજ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

પરિવારના જણાવ્યા મુજબ, અશોક લાદી ટાઇલ્સનું કામ કરતો. તેણી પત્ની રિસામણે છે. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.લાલપર ફ્લેટમાં એકલો રહેતો હતો.વાત વાતમાં પરિવારને જાણવા મળેલ કે, તે મિત્રો સાથે આબુ ફરવા ગયો હતો.પણ બનાવ ખરેખર શું બન્યો હતો એ કોઈને ખબર નથી.

ક્યાં મિત્રો સાથે ગયો હતો એ પણ પરિવારને જાણ નથી.એ હોસ્પિટલમાં દાખલ થયો પછી કોઈ મિત્રો સામે આવ્યા નથી.જેથી બનાવની હકીકત ક્રોસ ચેકીંગ માટે આબુ પોલીસનો સંપર્ક રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા કરાયો છે.






Latest News