મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં રેલ્વેની મોટી દુર્ઘટના થતી સહેજમાં અટકી, રેલ્વે ફાટકના ગેટમેનને કર્યો સસ્પેન્ડ


SHARE













મોરબી શહેરમાં રેલ્વેની મોટી દુર્ઘટના થતી સહેજમાં અટકી, રેલ્વે ફાટકના ગેટમેનને કર્યો સસ્પેન્ડ

મોરબીમાંથી પસાર થતી ગાંધીધામ બાંદ્રા ટ્રેન રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં વાંકાનેર તરફ જઈ રહી હતી દરમિયાન પરશુરામ પોટરી પાસે આવેલ ફાટક નં. 28 ના ગેટમેન દ્વારા ફાટક બંધ કરવામાં આવ્યું ન હતું જેથી આ ટ્રેનને રોકવામાં આવી હતી અને આ ગંભીર બાબતની જાણ થતાની સાથે જ રેલવેના ટ્રાફિક ઇન્સ્પેક્ટર સહિતના જવાબદાર અધિકારી દોડી આવ્યા હતા અને ફરજમાં બેદરકારી રાખનાર ગેટમેનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

હાલમાં રેલ્વે વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે ગુરુવારે રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં ગાંધીધામથી બાંદ્રા તરફ જતી પેસેન્જર ટ્રેન મોરબી રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થઈને આગળ વાંકાનેર તરફ જઈ રહી હતી દરમિયાન પરશુરામ પોટરીની પોસ્ટ ઓફિસ પાસે જે 28 નંબરનું રેલવે ફાટક આવેલું છે તે ફાટકના ગેટમેન દ્વારા ફાટકને બંધ કરવામાં આવ્યું ન હતું જેથી પેસેંજર ટ્રેનને ત્યાં રોકવામાં આવી હતી અને મોરબીમાં રેલવેની મોટી દુર્ઘટના સર્જાય ત્યાર પહેલા સહેજમાં આ ઘટના ટ્રેનના ડ્રાઇવરની સતર્કતાના લીધે અટકી ગઈ હતી જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રાફિક ઇન્સ્પેક્ટર સહિતના જવાબદાર અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બાબતે મોરબી રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તર ડી.એલ.વર્મા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ફરજમાં બેદરકારી રાખનાર ગેટમેનને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે દોજીરામ મીણા નામના ગેટમેન રાત્રીના સમયે ત્યાં ફરજ ઉપર હતા અને તેને પોતાની ફરજમાં બેદરકારી રાખી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News