મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના લક્ષ્મીપરામાં જૂનુ મનદુખનો ખાર રાખીને યુવાને જાનથી મારી નાખવાની ધમકી


SHARE











વાંકાનેરના લક્ષ્મીપરામાં જૂનુ મનદુખનો ખાર રાખીને યુવાને જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારની અંદર રહેતા યુવાનના ભાઈની સાથે તે જ વિસ્તારમાં રહેતા એક શખ્સને જૂનુ મનદુખ ચાલે છે જેથી આરોપીએ પોતાના મકાનના રવેશમાં ઉભા રહીને ફરિયાદી તેમજ સાહેદને બેફામ ગાળ આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના લક્ષ્મીપરા શેરી નંબર-૨ માં રહેતા ફિરોજભાઈ અયુબભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (ઉંમર ૩૦) એ હાલમાં તે જ વિસ્તારની અંદર રહેતા જાકીર ઉર્ફે રાઘે નૂરમામદ મકવાણાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના ભાઈને આરોપીની સાથે જૂનું મનદુખ ચાલતું હતું તે બાબતનો ખાર રાખીને આરોપીએ પોતાના મકાનના રવેશમાં ઉભા રહીને ફરિયાદી અને સાહેને બેફામ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં વાંકાનેર સીટી પોલીસે યુવાનની ફરિયાદ લઈને ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News